Saturday, May 11, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રૌઢ વેપારીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં પ્રૌઢ વેપારીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગરમાં આવેલા માટેલ ચોકમાં રહેતાં પ્રૌઢે તેના ઘરે અકળ કારણોસર પંખામાં સુતરની દોરી વડે આત્મહત્યાનો પ્રયાસ કરતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરમાં રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં આવેલી રાજરાજેશ્ર્વરી સોસાયટી શેરી નં.6 માં રહેતાં ટેકચંદભાઈ કેવલરામ ગુરૂનાણી (ઉ.વ.57) નામના વેપારી પ્રૌઢે સોમવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર છતના પંખામાં સુતરની દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં વેપારી પ્રૌઢને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ છે. આ અંગે મૃતકના પુત્ર હરેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular