Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર મુકામે રહેતા જયરાજસિંહ માનસંગ કંચવા પાસેથી જામનગર નાગરપરા વિસ્તારમાં રહેતા ભાર્ગવ ડી. દવે દ્વારા સંબંધદાવે હાથઉછીના રૂા. પાંચ લાખ લીધા હતા. જે રકમની પરત ચૂકવણી માટે ભાર્ગવ ડી. દવે દ્વારા રૂા. પાંચ લાખનો આઇસીઆઇઆઇઆઇ વાડીનાર શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક જયરાજસિંહ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે પરત કર્યો હતો. જેથી જયરાજસિંહ દ્વારા પોતાના વકીલ મારફત ધારા-ધોરણસરની નોટીસ મોકલાવેલ તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક તળે કેસ દાખલ કર્યો હતો.

- Advertisement -

જે કેસ જામનગરના એડી. ચીફ જ્યુ. મેજી. સ્પેશ્યલ નેગોશિએબલ કોર્ટના જજ આર.બી. ગોસાઇની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી ભાર્ગવ ડી. દવેને એક વરસની સાદી કેદની સજા તથા પાંચ લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો દંડની રકમ આરોપી ન ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે આર.કે. કંચવા એસોસિએટ્ના રઘુવીરસિંહ કે. કંચવા, એ.એ. ભંડેરી તથા કલ્પેશ બી. શિયારવાલા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular