જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાંથી એલસીબીની ટીમે બે શખ્સોની અટકાયત કરી તેમના કબ્જામાંથી રૂા.80 હજારની રોકડ અને 600 ગ્રામ ચાંદીના જૂના વાસણો અને બાઇક સહિતનો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા બે શખ્સો ચાંદીના જૂના વાસણો સાથે આવવાની મળેલી હે.કો. વનરાજ મકવાણા અને ફિરોઝ દલને બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતા બાઇકસવાર બે શખ્સોને આંતરી લીધા હતાં.
એલસીબીની ટીમે આશીફ દોસમામદ ખફી અને આશીફ અલારખા ખફી નામના બે શખ્સોની તલાશી લેતા તેમના કબ્જામાંથી રૂા.80 હજારની રોકડ રકમ અને 28000 ની કિંમતના ચાંદીના જૂના વાસણો તથા બે મોબાઇલ અને એક બાઇક સહિત રૂા.1.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.
જામનગરમાંથી ચાંદીના જૂના વાસણો સાથે બે શખ્સ ઝડપાયા
એલસીબી દ્વારા ચાંદીના વાસણો અને 80 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે: શક પડતી મિલ્કત કબ્જે કરી વધુ તપાસ