જામનગર જિલ્લા પોલીસએ અસામાજિક તત્ત્વો વિરૂઘ્ધ હદપારીનું શસ્ત્ર ઉગામતાં એક શખ્સને ઝડપી લઇ જામનગર જિલ્લાની હદ બહાર મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ દ્વારા જામનગર જિલ્લામાં અસામાજિક તત્ત્વો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધા દ્વારા અસામાજિક તત્વોને હદપારી કરવા સૂચના આપતા પંચકોષી ‘એ’ ડિવિઝનના પીઆઇ એમ. એન. શેખ તથા એએસઆઇ ક્રિપાલસિંહ જાડેજા દ્વારા જામનગરના અલિયા ગામમાં રહેતા કિશન ભરત મકવાણા વિરૂઘ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બી. એ. કાલરિયાને મોકલવામાં આવી હતી. જામનગર (ગ્રામ્ય) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરાતાં એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કો.હરદેવસિંહ ઝાલા તથા જયદીપસિંહ જાડેજાએ કિશન ભરત મકવાણાને ઝડપી લઇ જામનગર જિલ્લાની હદ બહાર મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરૂઘ્ધ લાલપુર, પંચ ‘એ’ પોલીસ સ્ટેશન સહિત કુલ ત્રણ જેટલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી છે.


