Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બેશુદ્ધ મળી આવેલા આધેડનું મોત

જામનગર શહેરમાં બેશુદ્ધ મળી આવેલા આધેડનું મોત

નિલકમલ સોસાયટીમાંથી જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા : બેશુદ્ધ હાલતમાં મૃત્યુ : પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાંથી બેશુધ્ધ અવસ્થામાં મળી આવેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી નિલકલમ સોસાયટીમાં ખુણા પરથી સપ્તાહ પૂર્વે બેશુદ્ધ હાલતમાં આશરે 50 વર્ષના અજાણ્યા આધેડ મળી આવતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં એક સપ્તાહ સુધી બે્રઇન હેમરેજના કારણે બેશુદ્ધ રહેલાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની હોસ્પિટલના તબીબ જય ચૌધરી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular