Tuesday, April 16, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં ચોથી લહેરની ચિંતા અઠવાડિયામાં સામે આવ્યા કોરોનાના 50,000 કેસ

દેશમાં ચોથી લહેરની ચિંતા અઠવાડિયામાં સામે આવ્યા કોરોનાના 50,000 કેસ

- Advertisement -

દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 50,000 દર્દીઓ સામે આવ્યા છે. જાન્યુઆરીમાં આવેલ ત્રીજી લહેર પછી ફરીથી નવા કેસ વધી રહ્યાં છે. કેરળમાં પોઝિટીવ રેટ 13 ટકા, મહારાષ્ટ્રમાં સાત ટકા, દિલ્હીમાં ચાર ટકાએ પહોંચી ગયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર દેશના 17 જિલ્લા એવા છે જ્યાં પોઝિટીવ રેટ 10 ટકાથી વધારે છે. જ્યારે 24 જિલ્લામાં પોઝિટીવ રેટ પાંચ થી દસ ટકાની વચ્ચે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચ ઓ)ના જણાવ્યા અનુસાર જો પોઝિટીવ રેટ પાંચ ટકાથી વધારે રહે તો માનવામાં આવે છે કે સંક્રમણ બેકાબુ થઇ ગયોે છે. જો કે સંક્રમણ વધવા છતાં નિષ્ણાતોનું માનવું છે કે ગભરાવવાની જરૂર નથી. વેક્સિનેશન પર બનેલ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગુ્રપના ચેરમેન ડો. એન કે અરોડાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી કોઇ નવું વેરિઅન્ટ મળી આવ્યું નથી. સંક્રમણ મેટ્રો સિટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારો સુધી સિમિત છે. આ દરમિયાન આજે દેશમાં કોરોનાના નવા 6594 કેસ નોંધવામાં આવ્યા હતાં. જયારે એકિટવ કેસ 50,548 થયા છે. દૈનિક પોઝિટીવ રેટ ઘટીને 2.05 ટકા થઇ ગયો છે. વધુ દસ લોકોનાં મોત નોંધાતા અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને વધીને 5,24,771 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 3482 કેસોનો વધારો થયો છે. કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને 195.19 કરોડને પાર થઇ ગઇ છે.

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા દસ મોત પૈકી કેરળમાં ત્રણ, દિલ્હીમાં ત્રણ, મહારાષ્ટ્રમાં બે તથા મિઝોરમ અને પંજાબમાં એક-એક મોત નોંધવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે કોરોના મહામારી હજુ સુધી સમાપ્ત થઇ ન હોવાથી રાજ્ય સરકારો અને લોકોને એલર્ટ રહેવાની જરૃર છે. આજે તેમણે રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular