જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રાવણી મેળાની પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા પ્લોટીંગ કામગીરી પુર્ણ કર્યા બાદ રાઇડ સંચાલકો દ્વારા રાઇડો લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.1 સપ્ટેમ્બરથી 11 દિવસ માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી પુર્ણ કરવામાં આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્લોટની લાઇન દોરીઓ નિશ્ર્ચિત કરી વિવિધ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા પુર્ણ થતાં રાઇડના સંચાલકો દ્વારા રાઇડો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાની-મોટી ચકરડી, બ્રેકડાન્સ, ટોરાટોરા સહિતની અનેક નાની-મોટી રાઇડો સહિતનો માલસામાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચુકયો છે. મંડપ તેમજ વિવિધ રાઇડોના પુલ ઉભા કરવા સહિતની કામગીરી શરૂ થઇ ચુકી છે.
View this post on Instagram


