Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

જામનગરમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ

જામનગરના હાલાર હાઉસ, સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમખર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હાલાર હાઉસ, સ્ટાર એપાર્ટમેન્ટ, ઇ-104માં રહેતા મીનાબેન રમેશભાઇ ગરસાણિયા (ઉ.વ.32) નામના મહિલાએ તા. 13ના સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ અંગે રમેશભાઇ દ્વારા સિટી ‘બી’ પોલીસને જાણ કરાતા હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડયો હતો. આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular