જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા બાલાજી પાર્કમાં રહેતાં સાસરિયાઓ દ્વારા દહેજ સંદર્ભે શારીરિક માનસિક ત્રાસ આપી મહિલાને મરી જવા મજબુર કર્યાની મૃતકની માતા દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતી રોશનીબેન નામની મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન વિનોદ હરીસિંગ રાઠોડ, રામજાનકીબેન હરીસિંગ રાઠોડ, બ્રિજેશ હરીસીંગ રાઠોડ, સોનમબેન બ્રિજેશ રાઠોડ નામના ચાર સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરી અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. સાસરિયાઓ દ્વારા અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળી રોશનીબેન તેણીના ઘરે અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ મૃતક મહિલાની માતા તથા વિજયાદેવી સુરેશચંદ્ર રાઠોડ નામના પ્રૌઢાએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ આર.બી. ગઢવી તથા સ્ટાફે મૃતકના સાસરિયા વિરૂધ્ધ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.