Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરયુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા વિવિધ માંગણીઓ અંગે આવતીકાલે વિરોધ કરાશે

યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા વિવિધ માંગણીઓ અંગે આવતીકાલે વિરોધ કરાશે

આવતીકાલે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યા બાદ તા. 18ના રોજ પ્રતિક હડતાલનું એલાન

- Advertisement -

યુનાઇટેડ નર્સિસ ફોરમ ગુજરાત દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇ આગામી તા. 18 મેથી હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સ ફરજ બજાવતી હોય, સરકારને અનેક વખત રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય, રોષ જોવા મળી રહ્યો છે.
યુનાઇટેડ નર્સિસ ફોરમ જામનગરના પ્રમુખ ધીરજ મેકવાન તથા સેક્રેટરી ટ્વિન્કલ ગોહેલ દ્વારા ગ્રેડ પે રૂા. 4200 અને ખાસ ભથ્થાઓ અને રૂા. 9600 પ્રતિ માસ ચૂકવાઇ, નર્સિસની આઉટ સોર્સિંગ ભરતી બંધ કરી રૂા. 35000 પ્રતિમાસ પગાર ચૂકવાઇ, નર્સિસને બેઝ ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની માફક 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે, રાજ્યમાં નર્સિસની લગભગ 4000 જેટલી ખાલી જગ્યા તાત્કાલિક ભરવા છેલ્લા એક વર્ષથી આજદિવસ સુધી ન મળેલ રજાઓનું વળતર આપવા, છેલ્લા બે વર્ષથી અટકેલ બઢતી અને બદલી તાત્કાલિક ધોરણે કરવા કેન્દ્રના ધોરણે નોમેન પ્લેયર, વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 14 હોસ્પિટલ હોલી-ડે, ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રતિ નિયુક્તી તેમજ સીએચસી અને પીએચસી પર ફરજ બજાવતાં નર્સિસનું શોષણ બંધ થાય તેવી વિવિધ પડતર રજૂઆતોની માંગણી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા નર્સિસની માંગણી ન સંતોષાતા તા. 12ના રોજ એક દિવસ કાળીપટ્ટી ધારણ કરી દર્દીની સેવા ન ખોરવાઇ તે રીતે ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કરશે. તેમજ તા. 17 સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજો યથાવત્ રાખશે. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. 18ના રોજ ફરજોનો બહિષ્કાર કરી એક દિવસ માટે પ્રતિક હડતાલ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular