Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બર્ધન ચોકના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ સાંપડયો

જામનગરના બર્ધન ચોકના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ સાંપડયો

ત્રણ દિવસથી ઘરમાંથી બહાર ન નિકળ્યા : અસહ્ય દુર્ગંધની જાણના આધારે 108 ની ટીમ સ્થળ પર પહોંચી : મૃતદેહ પોલીસને સોંપ્યો

- Advertisement -

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી સંઘાડિયા બજારમાં આવેલા રહેણાંક મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં સંઘાડિયા બજારમાં આવેલા એક મકાનમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા ગીતાબેન જયદેવભાઈ જોશી (ઉ.વ.65) નામના વૃધ્ધા તેમના ઘરમાંથી બહાર નિકળ્યા ન હતાં અને ત્રણ દિવસ થયા છતાં વૃદ્ધા બહાર ન નિકળતા મકાનમાંથી દુર્ગંધ આવતા આ અંગેની 108 એમ્બ્યુલન્સમાં જાણ કરાતા તેની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પર તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી હત્યા છે કે આત્મહત્યા ? કે કુદરતી મોત ? તે અંગેની તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular