Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરગોકુલનગરમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

ગોકુલનગરમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જકાતનાકા નજીક આવેલા સોમનગર શેરી નં.4 માં રહેતાં ભીખુભા રેણાજી સોઢા (ઉ.વ.55) નામના પ્રૌઢને રવિવારના રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પ્રૌઢે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular