Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તબીબના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

જામનગરમાં તબીબના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

અમેરિકન ડોલર અને રોકડ રકમ સહિત રૂા.1.68 લાખની માલમતાની ચોરી: મકાનમાં સામાન વેર-વિખેર કરી નાખ્યો : ફોરેન્સિક ટીમની મદદથી તપાસનો ધમધમાટ

- Advertisement -

જામનગર શહેરના વતની અને હાલ અમદાવાદમાં રહેતા તબીબના વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને તાળા તોડી રૂા.37 હજારની રોકડ રકમ અને અમેરિકન ડોલર મળી કુલ રૂા.1.68 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી ફોરેન્સિક ટીમની મદદથી તસ્કરોનું પગેરુ મેળવવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના વાલ્કેશ્ર્વરીનગરી ફેસ-2 મા વિનાયક -2 ની સામે આવેલા શ્રી કુંજ મકાનમાં રહેતા અને હાલ અમદાવાદમાં ગાયનેક તબીબ તરીકે ફરજ બજાવતા વિવેક પ્રવિણચંદ્ર કકકડ નામના યુવાનના બંધ મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાના નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમનો સામન વેરવિખેર કરી નાખ્યો હતો અને રૂમના કબાટમાં રાખેલા રૂા.37 હજારની રોકડ અને 251 અમેરિકન ડોલર તથા રૂા.1.31 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1,68,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ બનાવની જાણ થતા તબીબે આ અંગે જાણ કરાતા પીએસઆઈ આર. એ. વાઢેર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફોરેન્સિક ટીમની મદદથી તસ્કરોનું પગેરુ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગે તબીબે જામનગર આવી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ નિહાળી તસ્કરોનું પગેરુ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular