બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. મધુબાઇ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર. પૂ. રેણુકાબાઇ મહાસતીજી તા.9-9-2026ના રાત્રે 9-30 કલાકે માણેક ગુરૂ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, 70 વર્ષની વયે 49 વર્ષના દીક્ષા પર્યાય સહિત કાળધર્મ પામ્યા છે. આજે તા.10ને ગુરૂવારે 11-30 કલાકે પાલખી યાત્રા યોજાઇ હતી.
માતા શારદાબેન અને પિતા નગીનભાઇ શાહના ગૃહાંગણે 9-9-1955ના જન્મેલા રેણુકાબેન અમદાવાદ નારણપુરા સંઘમાં તા.12-2-1978, મહાસુદ પંચમીના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ના શુભહસ્તે દીક્ષા અંગીકાર કરેલ. તેઓશ્રીના લઘુભગિની પૂ.દીપિકાબાઇ મ.સ.એ પણ દીક્ષા ગ્રહણ કરેલ છે. પૂ. ધીરગુરૂદેવે ગુણાંજલિ અર્પણ કરી હતી.


