Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત સૌરાષ્ટ્રના 15000 બેંક કર્મીઓની સોમ-મંગળ હડતાળ

જામનગર સહિત સૌરાષ્ટ્રના 15000 બેંક કર્મીઓની સોમ-મંગળ હડતાળ

બેંકોનું ખાનગીકરણ થશે તો વહીવટ સરકારના હાથમાં નહીં રહે, ઉદ્યોગગૃહોના હાથમાં જશે: કર્મીઓ

- Advertisement -

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજે તા. 15 અને 16મીના રોજ બેંક કર્મચારીઓ દ્વારા બે દિવસની હડતાલ કરવામાં આવશે. જેમાં રાજકોટના 4 હજાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 15 હજાર કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. બેંકોનું ખાનગીકરણ થશે તો બેંકોનો વહીવટ સરકારના નહીં, ખાનગી ઉદ્યોગગૃહોના હાથમાં જતો રહેશે તેવી ભીતિ ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

સરકારની જનધન યોજના, ખેડૂતોને સીધી રાહત, મનરેગાની રાહત, સસ્તાદરે ધીરાણ, પાક વીમાની રકમ વગેરે સેવા નફો રળવાના હેતુ સાથેની ખાનગી બેંકો પુરી પાડશે? જાહેર ક્ષેત્રની બેંકો પાસે 146 લાખ કરોડ રૂપિયાની થાપણ છે તે ખાનગી બેંકોને સોંપી શકાય ? ખાનગી બેંકોની 10 ટકા શાખાઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં નથી. બેંકોની સેવા સામાન્ય ગ્રાહક માટે મોંઘી થશે તેમ જણાવવામાં આવ્યું છે.

રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની પેરવીના વિરોધમાં આવતી કાલથી બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જૂનાગઢ જિલ્લાના બે હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાનાર હોવાથી બેંકોમાં અંદાજે 500 કરોડના વ્યવહારો ઠપ થઇ જશે.

- Advertisement -

સરકાર બે રાષ્ટ્રીયકૃત બેંકો તથા એક વીમા કંપની ઉપરાંત આઇ.ડી.પી.આઇ. બેંકને ખાનગીકરણ કરવાનો નિર્ણયનો અમલ કરવામાં આગળ વધી રહ્યો છે. જેનો વિરોધ ઉઠયો છે.

બેંકોના ખાનગીકરણથી બેકીંગ સેવાઓ મોંઘી થશે વધુ વ્યાજે ખાનગી બેંકો ઉંચા વ્યાજે લોન ધિરાણ કરશે ખેડૂતોને ખેતીના ધિરાણો અટકી જશે ગ્રામ્ય વિસ્તારની બેંક સેવાઓ બંધ થશે અને આમ જનતાના નાણાની સલામતીનો પ્રશ્ર્ન ઉભો થશે તેવા ભવિષ્યમાં પડનારા ઘેરા પ્રત્યાઘાતો સામે દેશના પીએસયુ બેંક કર્મચારીઓની આમ હડતાલને સંયુકત કિશાન મોરચાએ સમર્થન જાહેર કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular