જામનગરના બદરી મઝાર પરિસરને પર્યાવરણ અંગે શ્રેષ્ઠ હેરિટેજ નિર્માણ માટે એવોર્ડ પ્રાપ્ત થયા બાદ જામનગરના મેયર બિનાબેન કોઠારીએ આજે વોરાના હજિરા પાસે આવેલા આ પરિસરની ઔપચારિક મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્યાન તેઓ વ્હોરા સમાજના અગ્રણીઓને મળ્યા હતા અને આ પરિસરના તેમજ આસપાસના નદી વિસ્તારના વિકાસ માટેની ચર્ચાઓ કરી હતી. મેયરે પરિસર આસપાસ નદીના વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું.તસવીર: શકિત ધોળકિયા