Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી રાઘવજીભાઇ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું

કૃષિમંત્રી રાઘવજીભાઇ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર ખાતે તેમની કચેરીએ લોક સંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્ર્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્ર્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્ર્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular