Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોને મિલકતવેરા પેટે 11.08 કરોડ અને વોટરચાર્જ પેટે 1.71 કરોડની આવક

જામ્યુકોને મિલકતવેરા પેટે 11.08 કરોડ અને વોટરચાર્જ પેટે 1.71 કરોડની આવક

95.99 લાખનું રિબેટ અપાયું : 14 જૂન સુધીમાં 32881 આસામીઓએ રિબેટ યોજનાનો લાભ લીધો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં તા. 14 જૂન સુધીમાં 32881 આસામીઓ થકી જામ્યુકોને મિલકત વેરા પેટા રૂા. 11.08 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂા. 1.71 કરોડની આવક તેમજ રૂા. 95.99 લાખનું રિબેટ આપવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે તા. 17-5-21થી તા. 30-6-21 સુધી રિબેટ યોજના જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી તા. 6-6-21 સુધીમાં 32881 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. વેરા વળતર યોજના પેટે જામનગર મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે રૂા. 11.08 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 1.71 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 95.99 લાખનું રિબેટ આપવામાં આવેલ હતું. આ રિબેટ યોજના અન્વયે મિલકત વેરામાં 21,335 આસામીઓએ રૂા. 77.16 લાખ તથા વોટરચાર્જમાં 11,547 લાભાર્થીઓએ રૂા. 18.82 લાખનું રિબેટ મેળવેલ છે.
વર્ષ 2021-22ની રિબેટ યોજના તા. 30-6-21 સુધી જ હોય તો શહેરીજનોને વેરા વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-2006 સુધીની રેન્ટબેઈજ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા, વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-06થી કારપેટબેઈઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ ઉપર જાહેર થયેલ 100 ટકા વ્યાજમાફી અંતર્ગત તા. 6-6-21 સુધીમાં 821 લાભાર્થીઓએ રૂા. 16.63 લાખ વ્યવસાય વેરો ભરપાઇ કરી રૂા. 6.19 લાખની વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. વ્યવસાય વેરામાં 100 ટકા વ્યાજ માફી યોજના તા. 30-6-21 સુધી ચાલુ હોય, બાકીદારોને આ યોજનાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે. વેરા મહાનગરપાલિકાના (1)મુખ્ય કેસ કલેકશન વિભાગ, (2) ત્રણેય (સરૂ સેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સિવિક સેન્ટર, (3) જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કો.ઓપ. બેંક, આઇડીબીઆઇ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ બ્રાંચો તથા (4) મોબાઇલ ટેકસ કલેકશન વેનમાં સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત ઘર બેઠા ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય આપને વેરો www. mc jamnagar.com પર લોગીન કરી ઘર બેઠાં વેરો ભરો અને મેળવો 2 ટકા (રૂા. 250 મહત્તમ)નું વધારાનું વળતર. આપનો વેરો સમયસર ભરપાઇ કરી વ્યાજના ભારણથી બચવા અને શહેરના વિકાસકાર્યોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular