કાલાવડ તાલુકાના શીંશાગ ગામનો આરોપી વચ્ચ ગાળાના જામીન લઇ નાસતો ફરતો હોય જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ રાજકોટના ગૌરીદડ ગામે થી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના શીંશાગ ગામના જયેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે મુકવામાં આવ્યો હતો.જયાં આ શખ્સે વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઇ નાસતો ફરતો હતો. આ આરોપી રાજકોટ જિલ્લાના ગૌરીદડ ગામે હોવાની પેરોલ ફર્લો સ્કવોડના કરણસિંહ જાડેજા, લકધીરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા પેરોલ ફર્લો સ્કવોડના પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ એએસઆઈ ગોવિંદભાઇ ભરવાડ, હેકો.લકધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, રાજેશભાઇ સુવા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, પો.કો. મહિલપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા અરવિંદ ગીરી ગોસાઇ સહિતના સ્ટાફે આરોપી જયેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાને રાજકોટ જિલ્લાના ગૌરિદડ ગામ પાસેથી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.