Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયવિલેપારલેમાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણનો પાવન સંદેશ

વિલેપારલેમાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણનો પાવન સંદેશ

- Advertisement -

વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે પૂ. ધીરગુરૂદેવે વિશાળ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે, તીર્થમાં જવું પડે. જ્યારે પર્વ સામેથી આપણા આંગણે પધારે છે. સિતારે હજાર હોતે હૈ, ચાંદ જૈસા કોઇ નહીં, પર્વ બાર બાર આતે હૈ, પર્યુષણ જૈસા કોઇ નહીં. તપ-ત્યાગ-દાન-પૂણ્ય કરી લેવાથી નહીં, રાગ-દ્વેષ-કલેશ, કંકાસ, કષાયો ઘટશે તો પર્યુષણ સાર્થક થશે. પર્યુષણ ખુશીનો ખજાનો લઇને આવ્યા છે. હેપીનેશ- જ્યાં જીવો છે ત્યાં ખુશી પ્રસન્નતાનો વધારો કરતાં રહો. દિમાગથી નહીં દિલથી જીવો. કાઈન્ડેશન – ભલાઈ કરતા જાઓ. પૈસાથી નહીં પ્રેમથી જીવો. મલાઈ વગરનું દૂધ નકામું તેમ ભલાઈ વગરનું જીવન નકામુ છે. પૈસા છે તો સત્કર્મ, માનવતા, દિન દુખીયાના આંસુ લૂછી ચહેરા ઉપર મુસ્કાન લાવવાનું કાર્ય કરો. ધર્મની શરૂઆત મંદિર, મસ્જિદ, ઉપાશ્રયથી નહીં ઘરે કરો. સેલ્ફલેસનેસ -નિસ્વાર્થતા ભાવને અપનાવો. સ્વાર્થથી નહીં પરમાર્થથી જીવો. પોતાની સાથે કામ લેવું હોય ત્યારે મગજનો, બીજા સાથે કામ લેવું હોય ત્યારે હૃદયનો ઉપયોગ કરો. જગતમાં વસવું તેનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું હોય તેનું નામ પર્યુષણ છે. પર્યુષણ તો આવતા રહેશે જતા રહેશે પરંતુ પર્યુષણ તેનો અર્ક આપણા અંતર મનમાં ટકી રહે તેવો પુરૂષાર્થ કરવાનો છે. પર્યુષણનો સંદેશ છે કે, – અઠમતપની સાધના, અભય, દાનમાં પ્રગતિ, સાધર્મી ભકિતમાં વધારો, ભાવધર્મ – શુભભાવમાં ઉમેરો અને અંતે પ્રતિક્રમણ કરીને ક્ષમાભાવથી આત્માની શુધ્ધિ-વિશુધ્ધી થી આત્માને પુનિત, પાવન બનાવવાનું ભૂલશો નહીં. સંઘમાં કાયમી વ્યાખ્યાન પ્રભાવના આયોજનમાં દાતાઓ લાભાર્થી બની રહ્યા છે. પૂ. ધીરગુરૂદેવ પ્રેરિત 50 પુસ્તકનો સેટ અલ્પમુલ્યમાં ઉપલબ્ધ છે. પર્યુષણ પ્રવચનધારાનું યુટયુબમાં ધીરપ્રવચનધારા ચેનલમાં લાઈવ પ્રસારણ સવારે 9:30 થી 11 અને સોહમ ચેનલમાં રાત્રે 10 થી 11 કલાકે પ્રસારણમાં સ્વામીની પ્રેરણાથી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular