Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દિવાબતી કરતા દાઝી જવાથી વૃધ્ધાનું મોત

જામનગર શહેરમાં દિવાબતી કરતા દાઝી જવાથી વૃધ્ધાનું મોત

20 દિવસ પૂર્વે સાંજના સમયે અકસ્માતે દાઝી ગયા : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

- Advertisement -

જામનગર શહરેના રણજીતનગર વિસ્તારમાં પ્રણામી સ્કૂલ પાછળ રહેતાં વૃદ્ધા તેમના ઘરે દિવાબતી કરતા હતા તે દરમિયાન દાઝી જતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં બ્લોક નંબર ડી 9 ફલેટ નંબર 355 માં પ્રણામી સ્કૂલ પાછળ રહેતા સાવિત્રીબેન પ્રાગજીભાઈ પાલા (ઉ.વ.92) નામના વૃધ્ધા ગત તા.26 મે ના રોજ તેમના ઘરે સાંજના સમયે દિવાબતી કરતા હતાં તે દરમિયાન અકસ્માતે શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધાને સારવાર માટે પ્રથમ જામનગર અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દર્શનભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular