Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કોવિડના ભંગ સબબ 21 દુકાનો સીલ કરાઇ

જામનગરમાં કોવિડના ભંગ સબબ 21 દુકાનો સીલ કરાઇ

જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસની સંયુકત કામગીરી : એક માસ દરમિયાન માસ્કના 509 અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 1916 કેસ : કુલ 236 દુકાનો સામે કાર્યવાહી : 10.82 લાખના દંડની વસૂલાત

- Advertisement -


જામનગર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરતા અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી અને હોટલ તથા દુકાનો સામે સીલીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 21 દુકાનો સીલ કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણની ચેઈન તોડવા માટે જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુકત કામગીરી અંતર્ગત શહેરમાં ચા ની હોટલો અને પાન-મસાલાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન ન કરવા સબબ કડક કાર્યવાહીમાં છેલ્લાં 24 કલાક દરમિયાન મહાપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસના સંયુકત ઉપક્રમે સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ કરતી 21 ચા અને પાન-મસાલાની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થતું ન હોય અને લોકો માસ્ક ન પહરેતા હોવાથી આ દુકાનો સીલ કરવામાં આવી છે.
22 માર્ચથી 21 એપ્રિલ સુધીના સમય દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અંતર્ગત માસ્ક અંગેના કુલ 509 કેસમાં રૂા.5,22,300 નો દંડ વસૂલ કર્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના કુલ 1916 કેસમાં 5,59,940 ની રકમ દંડપેટે વસૂલવામાં આવી હતી. આમ, એક માસ દરમિયાન કુલ 2425 કેસ નોંધી રૂા.10,82,240 ની રકમ વસૂલવામાં આવી છે તેમજ એસ્ટેટ શાખા દ્વારા કુલ 106 મિલકતો સીલ કરવામાં આવી હતી અને કોવિડ ગાઈડલાઈનના ભંગ સબબ 236 દુકાનો સીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular