Monday, February 10, 2025
Homeરાજ્યજામનગરગુરૂદ્વારામાં ગુરૂ ગોવિંદસિંઘજીની 359મી જન્મ જયંતીની ઉજવણી - VIDEO

ગુરૂદ્વારામાં ગુરૂ ગોવિંદસિંઘજીની 359મી જન્મ જયંતીની ઉજવણી – VIDEO

ગુરુદ્વારાથી જી.જી. હોસ્પિટલ સુધીની શોભાયાત્રા યોજાઈ: જી.જી. હોસ્પિટલમાં ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફૂલહાર કરાયા

- Advertisement -

- Advertisement -

જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં આજે સોમવારે ગુરુ ગોવિંદસિંઘજીની 359મી જન્મ જયંતી ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને શોભાયાત્રા, સેહજ પાઠ, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સૌ પ્રથમ સવારે 7:45 વાગ્યે ગુરુદ્વાર થી શોભાયાત્રા નીકળી હતી. તેમાં બહોળી સંખ્યામાં શીખ સંપ્રદાયના ભાઈઓ-બહેનો જોડાયા હતા અને જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફુલહાર કરાયા હતા. જ્યાં જી.જી. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, ડો.અજય તન્ના, સર્જરી વિભાગના ડો. હેમાંગ વસાવડા તથા જી.જી. હોસ્પિટલના સ્ટાફ અને નિવૃત્ત આર્મીમેન તેમજ ગુરુદ્વારા ની સંગત ની હાજરીમાં જી. જી. હોસ્પિટલમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ જી.જી. હોસ્પિટલના દર્દીઓ જલ્દી સાજા થાય તે માટેની પણ પ્રાર્થના કરાઈ હતી. ત્યાર બાદ ગુરુદ્વારામાં સેહજપાઠની સમાપ્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે તખત પટનાના ભાઈ અરવિંદરસિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા શબ્દ કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શરદ્ાળુઓ ગુરુદ્વારામાં ઉપસ્થિત રહી માથું ટેકવીને શબ્દ કીર્તનનો લાભ ીધો હતો ત્યારબાદ બપોરે ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પ્રસાદ લીધો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular