જામનગરના ગણેશ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર પંથકમાં ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે. જામનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ, વૂલન મીલ પાછળ, વોર્ડ નંબર 6માં ગણેશ પબ્લિક ચેરી. ટ્રસ્ટ (મહિલા ભજન મંડળ) દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં તા. 14ના ગણેશ સ્થાપના કરાયા બાદ તા. 16ના 56 ભોગ, તા. 18ના ભજન, તા. 19ના સત્યનારાયણ ભગવાનની પૂજા અને રાત્રે મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
View this post on Instagram


