Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયભારતનું પ્રથમ CNG ટ્રેકટર લોન્ચ કરતાં પરિવહન મંત્રી ગડકરી

ભારતનું પ્રથમ CNG ટ્રેકટર લોન્ચ કરતાં પરિવહન મંત્રી ગડકરી

- Advertisement -

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતનું પહેલું સીએનજી ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક લગભગ 1 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ટ્રેક્ટરને ડીઝલમાંથી સીએનજી ઈંધણવાળું બનાવવામાં આવ્યું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સીએનજીમાં પરિવર્તિત ભારતનું પહેલું ડીઝલ ટ્રેક્ટર હશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ઔપચારિક રીતે તેને બજારમાં રજૂ કર્યું છે.

- Advertisement -

CNG ટ્રેક્ટર અત્યંત સુરક્ષિત છે. કેમ કે સીએનજી ટેન્ક પર મજબૂત સીલ લગાવવામાં આવેલું છે. તેનાથી તેમાં ઈંધણ ભરતા સમયે અને ઈંધણ ફેલાવાની સ્થિતિમાં વિસ્ફોટનું જોખમ ઓછું રહે છે.

CNG ટ્રેક્ટરનું ભવિષ્ય છે. કેમ કે હાલ દુનિયામાં 1.2 કરોડ વાહન પહેલાંથી જ પ્રાકૃતિક ગેસથી સંચાલિત છે અને દરરોજ વધારે કંપનીઓ, નગરપાલિકાઓ સીએનજી તરફ આગળ વધી રહી છે. ડીઝલની સરખામણીએ સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થાય છે. તેનાથી ખેડૂતોને ઈંધણના ખર્ચમાં 50 ટકા સુધીની બચાત થાય છે. રાવમેટ ટેકનો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા તરફથી સંયુક્ત રીતે વિકસિત આ ટ્રેક્ટરથી ખેડૂતોના ખર્ચને ઓછું કરવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તક ઉભી કરવામાં મદદ મળશે.

- Advertisement -

CNG ની કિંમતમાં પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ઉતાર-ચઢાવ હોય છે. આથી તે અત્યંત સસ્તું સાબિત થશે. ડીઝલ અને પેટ્રોલથી ચાલનારા વાહનોની સરખામણીમાં CNG વાહનોની સરેરાશ માઈલેજ શાનદાર હોય છે. રોજ વધારેથી વધારે કંપનીઓ CNG ને સમર્થન આપી રહી છે. પરાળનો ઉપયોગ બાયો-સીએનજીના ઉત્પાદનમાં કરી શકાય છે. જેના કારણે ખેડૂતોને બાયો-સીએનજી ઉત્પાદન એકમોને વેચીને પૈસા કમાવવામાં મદદ કરશે.

ટ્રાયલ રિપોર્ટ પ્રમાણે ડીઝલથી ચાલનારા એન્જિનની સરખામણીએ રેટ્રોફિટેડ ટ્રેક્ટર તેનાથી વધારે ક્ષમતાના હોય છે. સાથે જ તેનાથી ડીઝલની સરખામણીમાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular