જામનગરના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના કેસમાં પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 12 સપ્ટેમ્બરના રોજ સાગર ખરા નામના યુવક પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીની પુત્રી સાથે મૃતક સાગરભાઈને પ્રેમસંબંધ હોવાની શંકાને લઈને આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે પંચ બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
View this post on Instagram
પકડાયેલા આરોપીઓમાં દિનેશ જેઠા ગોહિલ અને જગદીશ જેઠા ગોહિલ સહિત ચાર આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને અગાઉ પણ નાના-મોટા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટના આદેશ મુજબ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


