Monday, April 28, 2025
Homeરાજ્યજામનગરધ્રોલ તાલુકાના જાયવા ગામના ખેડૂત યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

ધ્રોલ તાલુકાના જાયવા ગામના ખેડૂત યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

ઘરે ન્હાવા જતાં સમયે પડી જતાં બેશુધ્ધ : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને ખેતી કરતો યુવાન તેના ઘરે ન્હાવા માટે જતો હતો તે દરમિયાન એકાએક ચકકર આવતા બેશુધ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

દેશભરમાં છેલ્લાં ઘણાં સમયથી યુવા વર્ગમાં હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે તેમાં પણ ખાસ કરીને નાના બાળકોથી લઇ 45 વર્ષના વ્યક્તિઓમાં હૃદયરોગના હુમલાથી મોત લેવાઈ છે. તેમાં પણ ખાસ કરીને જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં બાળકોથી લઇને યુવાનો સુધીની વ્યક્તિઓ હૃદયરોગના હુમલાનો ભોગ બનતી જાય છે. જે ગંભીર બાબત છે. દરમિયાન જામનગર જિલ્લામાં વધુ એક યુવાનને હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આ બનાવમાં ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતાં અને ખેતીકામ કરતા વિનોદભાઈ દામજીભાઈ કાસીયાણી (ઉ.વ.30) નામનો યુવાન તા.24 ના બપોરના સમયે તેના ઘરે ન્હાવા માટે જતો હતો તે દરમિયાન એકાએક ચકકર આવતા નીચે પડી જતાં બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ બેશુદ્ધ થઈ ગયેલા યુવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કલ્યાણજી દ્વારા જાણ કરાતા હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular