Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કેદાર લાલ કપ-2022 રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગરિમાપૂર્ણ સમાપન

જામનગરમાં કેદાર લાલ કપ-2022 રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગરિમાપૂર્ણ સમાપન

શહેરના તમામ વોર્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ: ડો.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

- Advertisement -

જામનગર શહેરના તમામ વોર્ડ વચ્ચે અલગ રીતે પ્રથમ વખત આયોજીત કરાયેલી કેદાર લાલ કપ – 2022 રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન ગિરમાપૂર્ણ રીતે થયું હતું. આ ટુર્નામેન્ટના યોજાયેલા અંતિમ મુકાબલા દરમ્યાન પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ અને સાંસદ પૂનમબેન માડમ સહિતના લોકલાડીલા નેતાઓ સાથે આયોજક સંસ્થાઓ એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ સહિતના અગ્રણીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

- Advertisement -

જામનગર મહાનગરના તમામ વોર્ડના દરેક કોર્પોરેટરોની ટીમ તેમજ તમામ વોર્ડના ભાજપ પ્રમુખની ટીમ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ઈલેવન સહિત આ કેદાર લાલ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં કુલ 78 ટીમોએ ભાગ લીધો હતો. લગભગ 30 દિવસ દરમ્યાન રમાયેલી ઓલ વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન શીપનો અંતિમ મુકાબલો વોર્ડ નં.2 ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા (હકાભાઈ) ની ટીમ જય ઈલેવન અને વોર્ડ નં.6 ના કોર્પોરેટર જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલાની વુલનમીલ ક્રિકેટ કલબ (WMCC) વચ્ચે તા.1ર-04-2022 ના રોજ પ્રદર્શન મેદાન પર પી.સી.સી.ગ્રુપની વ્યવસ્થા હેઠળ રમાયો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટના તમામ મેચ 10-10 ઓવરના રમાયા હતાં. પરંતુ ચેમ્પીયનશીપ માટેનો ફાઈનલ મેચ 12-12 ઓવરનો રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

શહેરમાં રમત-ગમત પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે લાલ પિરવારના ટ્રસ્ટો એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ નવતર રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આખરી જંગ તા.12 એપ્રીલના રોજ પ્રદર્શન મેદાન પર રમાયો ત્યારે વિશાળ સંખ્યામાં શહેરના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહયા હતાં. આ ટુર્નામેન્ટના અંતિમ મુકાબલા માટે બન્ને ટીમો વચ્ચેનો ટોસ આયોજક સંસ્થાઓના ટ્રસ્ટી જીતુભાઈ લાલે કરાવ્યો હતો.

જેમાં વોર્ડ નં.2 ની ટીમ જય ઈલેવને ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં 12 ના આ અંતિમ મેચમાં WMCC ટીમે 129 રન 8 વિકેટના ભોગે ર્ક્યા હતાં.

- Advertisement -

શહેરની આ પ્રકારની પ્રથમ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં વોર્ડ નં.2 ની જય ઈલેવને ભારે રસાક્સીપૂર્ણ મુકાબલામાં ઈનીંગના અંતિમ દડા સુધી લડાયક રમત આપીને ચેમ્પીયનશીપ મેળવી હતી. જેમાં ચેમ્પીયનશીપ મેળળવવા માટેના 130 ના લક્ષ્યને 12 મી ઓવરના છેલ્લા દડા પર છગ્ગો ફટકારીને વિજય હાંસલો ર્ક્યોહતો અને ચેમ્પીયનશીપ હાંસલ કરી હતી. આ અંતિમ મુકાબલામાં મેચના સમાપન પછી પ્રદર્શન મેદાન પર હજજારોની સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો. આ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, જામનગર ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સત્યદિપસિંહ પરમાર, યુવા મોરચાના પ્રભારી હરદેવસિંહ ગોહીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતી મોરચાના મંત્રી બાબુભાઈ ચાવડા, જામનગર શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મયુરભાઈ રામભાઈ ગઢવી (દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના મહામંત્રી), બિપેન્દ્ર્રસિંહ જાડેજા (પ્રમુખ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ), સુરેશનભાઈ તન્ના (પ્રમુખ જામનગર વેપારી મહામંડળ), પ્રવિણસિંહ ઝાલા (ચેરમેન માર્કેટીંગ યાર્ડ હાપા), પરેશભાઈ મહેતા (ઉપપ્રમુખ ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન), લક્ષ્મીદાસભાઈ રાયઠઠા (લહેરીભાઈ-માનંદમંત્રી ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન), મુકેશભાઈ લાખાણી (પ્રમુખ રણજીતનગર વેપારી એસોસીએશન), હિતેશભાઈ ચંદારાણા, ઈલેશભાઈ પટેલ (ડાયરેકટર જામનગર ડિસ્ટ્રીકટ બેન્ક), પૂર્વ પ્રમુખ અશોકભાઈ નંદા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, સનતભાઈ મહેતા, જયશ્રીબેન જાની, રાજુભાઈ શેઠ, અવિનાશભાઈ ભટ્ટ, અને કિરીટભાઈ ભદ્રા (પ્રમુખ હાલારી ભાનુશાળી), કરશનભાઈ કરમુર (આહિર સમાજ), રમણીકભાઈ ગોરેચા(પ્રમુખ પ્રજાપતિ સમાજ), દિલીપમામા (પ્રજાપતિ સમાજ), માંડણભાઈ કેશવાલા (પ્રમુખ મહેર સમાજ), ક્ષત્રીય સમાજના અગ્રણી અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી મંડળીના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, ભાનુશાળી સમાજના અગ્રણી સંદીપભાઈ કટારમલ, સિંધી સમાજના અગ્રણી મનીષભાઈ રોહેરા, આહિર સમાજના અગ્રણી ભીખાભાઈ ધાનાભાઈ લગારીયા, પટેલ સમાજના અગ્રણી રામજીભાઈ પટેલ, અરવિંદભાઈ વિરાણી ઉપસ્થિત રહ્યા હતાં.

તેમજ જૈન સમાજના અગ્રણી અંજનભાઈ મસાલીયા, ગઢવી સમાજના એડવોકેટ સંજયદાન પ્રતાપદાન ગઢવી, બ્રહ્મસમાજના અગ્રણી અને યોગગુરૂ પ્રિતીબેન શુકલ, મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ (મહાદેવ), અરવિંદભાઈ પાબારી (ખજાનચી જામનગર લોહાણા મહાજન), જામનગર ક્રિકેટ કોચ મહેન્દ્ર્રસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઈ સોનછાત્રા, શિક્ષણ સમિતિના સભ્ય રમેશભાઈ કંસારા, શહેર ભાજપ ઉપપ્રમુખ એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, મંત્રી ભાવીશાબેન ધોળકીયા, પરેશભાઈ દોમડીયા, રાજુભાઈ યાદવ, વસંતભાઈ કણઝારીયા, યુવા મોરચાના અધ્યક્ષ્ા દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઈ બારડ, ચિંતનભાઈ ચોવટીયા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, જામનગર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજપાલભાઈ ગઢવી, ઉપપ્રમુખ કાંતીભાઈ બારોટ, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન કમલાસિંઘ રાજપુત, જામનગર શહેર ભાજપ ડોકટર સેલના ડો.જોગીનભાઈ જોશી, તથા લોહાણા સમાજના કાર્યક્રરો મનોજભાઈ અમલાણી, ભરતભાઈ કાનાબાર, અનિલભાઈ ગોકાણી, નિલેશભાઈ ઠકરાર, અતુલભાઈ પોપટ, લોહાણા અગ્રણી દિનેશભાઈ તન્ના, રણજીતભાઈ મારફતિયા, કેતનભાઈ બદિયાણી, રમેશભાઈ કોટેચા, ભરતભાઈ કકકડ, ગોવિંદભાઈ મોરઝરીયા, ભીખુભાઈ મોરઝરીયા, સિકકા લોહાણા મહાજનના પ્રમુખ કૈલાશભાઈ બદીયાણી અને રધુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ વિઠ્ઠલાણી, અતુલભાઈ રાયઠઠ્ઠા, લોહાણા મહિલા સંસ્થાના પ્રમુખ જયોતિબેન માધવાણી, જય જલીયાણ ગ્રુપના પ્રમુખ ડો. રક્ષ્ાાબેન દાવડા, અખિલ સૌરાષ્ટ્ર મહિલા રઘુવીર સેનાના પ્રમુખ દેવલબેન મપારા, શિલ્પાબેન માધવાણી તેમજ ખંભાળીયા લોહાણા મહાજનના ટ્રસ્ટી મનુભાઈ સોમૈયા, ભરતભાઈ મોટાણી, નીતિનભાઈ ગણાત્રા, રાકેશભાઈ રાજા તથા જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ્ાના નેતા આનંદભાઈ રાઠોડ, કોર્પોરેટરો કેશુભાઈ માડમ, નિલેશભાઈ કગથરા, અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠિયા, સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, જીતેશભાઈ શીંગાળા, ધીરેનભાઈ મોનાણી, જયેન્દ્ર્રસિંહ ઝાલા, વિનોદભાઈ ખીમસુર્યા, પાર્થ હસમુખભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, ક્રિષ્નાબેન સોઢા, જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલા, અમીતાબેન બંધીયા, લાભુબેન ગોરેચા, તૃપ્તીબેન ખેતીયા, પ્રવિણાબેન રૂપડીયા, અલ્તાફભાઈ ખફી, રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, રાહુલભાઈ બોરીચા, દિપુભાઈ પારીયા, દાઉદભાઈ નોતીયાર, ભરતભાઈ પરમાર, દિનેશભાઈ ભદ્રા, વિગેરે ઉપસ્થિત રહયા હતાં.

આ ટુર્નામેન્ટમાં જામનગર શહેરના પ્રિન્ટ તથા ઈલેકટ્રોનીક મિડીયાના ચેતનભાઈ માધવાણી, જયેશભાઈ રૂપારેલીયા, રવિભાઈ બુધ્ધદેવ, ગીરીશભાઈ ગણાત્રા, ડોલરભાઈ રાવલ, પરેશભાઈ શારડા, જયેશભાઈ ધોળકિયા, પી.ડી.ત્રિવેદી, મહિપાલસિંહ ચૌહાણ, હરદિપસિંધ ભોગલ, મુસ્તાક દલ, શબીર દલ, રાજેશભાઈ હિંન્દુજા, મીતેષભાઈ દાઉદીયા, નિર્મલભાઈ કારીયા, વિપુલભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ વાયડા, હિરેન હિરપરા, સહિતના પત્રકારો – કેમેરામેનો – ફોટોગ્રાફરો પણ ઉપસ્થિત રહયા હતા.

આ ટુર્નામેન્ટમાં સહયોગી તરીકે પી.સી.સી.ગ્રુપના મયુરસિંહ જાડેજા તથા બાલક્રિષ્નસિંહ જાડેજા તેમજ તેમની ટીમના 125 થી વધુ સભ્યોએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. અને વિજેતા ટીમ, રનર્સઉપ ટીમ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં સેવા આપનારા કોમેન્ટ્રરો, સ્કોરર, એમ્પાયરો, ગ્રાઉન્ડ સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યં હતું.
તેમજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ લાલ પિરવારના મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ, કેદારભાઈ (હરી) લાલ, ગોવિંદા ઠકરાર તથા ટ્રસ્ટના કાર્યકરો પ્રફુલ્લભાઈ મહેતા, સુનીલભાઈ આશર, અજય કોટેચા, સહદેવસિંહ ચુડાસમા, પ્રવિણભાઈ શુકલ, સંજયભાઈ જાની, દસ્તગીરભાઈ શેખ, સન્ની પરમાર, વિરાજ કાનાબાર, સોહન સોનછાત્રા, જીતુભાઈ નથવાણી, પ્રફુલ્લભાઈ સોલંકી, અકરમ સુમરા, અખ્તર મીયાવા સહિતના વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન બિમલભાઈ ઓઝા, ગીરીશભાઈ ગણાત્રા તથા હરેશભાઈ ગઢવીએ ર્ક્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular