Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સઅજિંકય રહાણેને કેપ્ટન બનાવવા માંગણી

અજિંકય રહાણેને કેપ્ટન બનાવવા માંગણી

- Advertisement -

ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ ચાહકોના નિશાના પર આવ્યો છે. ટવીટ્ર પર, વપરાશ કર્તાઓએ કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવ્યા છે અને અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવાની માંગ કરી છે.

- Advertisement -

ભારતીય ટીમે કોહલીની કેપ્ટનશીપ હેઠળ સતત 4 ટેસ્ટ મેચ ગુમાવી છે. આ અગાઉ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વેલિંગ્ટન અને ક્રિસ્ટચર્ચ ટેસ્ટમાં પણ ભારત હાર્યું હતું. વિરાટ કોહલીની અધ્યક્ષતામાં ઓટ્રેલિયામાં રમાયેલી એડિલેડ ટેસ્ટ મેચ પણ ભારત હાર્યું હતું.

એડિલેડ ખાતે અને અજિંક્ય રહાણેએ કેપ્ટનશિપ સંભાળ્યા બાદ કોહલી પિતૃની રજા પર ભારત પરત ફર્યા હતા. રહાણેની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે બાકીની ત્રણ ટેસ્ટમાંથી બેમાં જીત મેળવી સિરીઝ કબજે કરી હતી.

- Advertisement -

ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીત બાદ ટેસ્ટ મેચની કપ્તાન રહાણેને સોંપવાની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ, ઇંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં હાર બાદ હવે તે ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટ ચાહકોએ ટ્વિટર દ્વારા પોતાનો મુદ્દો ઉઠાવ્યો છે અને અજિંક્ય રહાણેને ટેસ્ટ કેપ્ટનશિપ સોંપવાની માંગ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular