Saturday, April 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં કોવિડના રેકોર્ડબ્રેક 314 પોઝિટિવ કેસ

જામનગર શહેર-જિલ્લામાં કોવિડના રેકોર્ડબ્રેક 314 પોઝિટિવ કેસ

જામનગરમાં 40 દર્દીના મોત: સરકારી ચોપડે 24 કલાક દરમિયાન કોવિડથી 2 ના મોત : શહેરમાં 192 અને જિલ્લામાં 122 નવા દર્દી કોરોના પોઝિટિવ : જિલ્લામાં 220 દર્દીઓએ કોરોનાને માત આપી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ થતું અટકાવવામાં વહીવટી તંત્રની કામગીરી અસરકારક સાબીત નથી થતી. કેમ કે, છેલ્લાં ઘણાં દિવસોથી કોવિડ પોઝિટિવ દર્દીઓનો આંકડો 300 આસપાસ જ રહે છે અને મૃત્યુનું પ્રમાણ પણ વધતું જાય છે અને જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધારેલા બેડ પણ ફુલ થઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ છે. હાલની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જામનગરમાં બેઠક યોજશે.

- Advertisement -

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર પ્રથમ લહેર કરતા અનેકગણી ઝડપી અને ઘાતક બનતી જાય છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન રેકોર્ડ બે્રક 8152 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 81 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 08, વડોદરા કોર્પોરેશનમાં 06, બનાસકાંઠા, રાજકોટ, ગાંધીનગર કોર્પોરેશન, સાબરકાંઠામાં 02-02, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ, સુરત અને વડોદરામાં 01-01 દર્દીઓના મોત નિપજ્યા છે.

ઉપરાંત રાજ્યમાં કુલ 86,29,022 વ્યકિતઓને કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 12,53,033 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 98,82,055 રસીકરણના ડોઝ અપાયા છે. 24 કલાક દરમિયાન 60 વર્ષથી વધુના તેમજ 45 થી 60 વર્ષ સુધીના કુલ 93,497 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને 47,186 વ્યકિતઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં 192 પોઝિટિવ કેસ અને 127 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને બે વ્યકિતના કોરોનાથી મોત થયાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આમ શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ મૃત્યુઆંક 24 નો થયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 122 વ્યકિતોઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 93 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ 283196 લોકોના પરીક્ષણ કરાયા છે અને 22 લોકોના મોત થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 224967 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે અને 16 દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી દફતરે નોંધાયેલું છે. આમ, જિલ્લામાં કુલ 314 દર્દીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 220 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન વધુ 40 દર્દીઓના મોત નિપજ્યા છે. કોવિડમાં દરરોજ અસંખ્ય લોકોના મોત નિપજે છે પરંતુ સરકાર દ્વારા આ લોકોના મોત કોવિડથી થતા નથી અને અન્ય બીમારી સાથે થાય છે. જેથી સરકાર દ્વારા મૃત્યુઆંક જાહેર કરાતો હતો. જામનગર શહેરમાં 24 કલાક દરમિયાન બે દર્દીના કોવિડથી મોત નિપજયાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular