જામનગરમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પેલેસ જૈન દેરાસરમાં મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનને સોનાના વરખની આંગી તથા ફૂલોની રોશની કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, સ્ટે. કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઇ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.



