Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરડી.કે.વી. સર્કલ પાસે રીક્ષાએ ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત

ડી.કે.વી. સર્કલ પાસે રીક્ષાએ ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત

વહેલીસવારના 6:30 વાગ્યામાં અકસ્માત: રીક્ષાએ ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ પ્રાણ-પંખેરૂ ઉડી ગયું : રીક્ષાચાલકની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં ડી.કે.વી. સર્કલ પાસે ચાલીને પસાર થતા પુરૂષને પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી રીક્ષાના ચાલકે ઠોકરે ચડાવતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ડી.કે.વી. સર્કલ પાસે હિરો હોન્ડાના શો-રૂમ રોડ પરથી બુધવારે વહેલીસવારના 6:30 વાગ્યના અરસામાં ચાલીને જતા અજાણ્યા પ્રૌઢને પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલી જીજે-10-ટીટી-7211 નંબરની રીક્ષાના ચાલકે હડફેટે લઇ ઠોકર મારતા પ્રૌઢને પછાડી દઇ શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા એેએસઆઈ એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આરંભી રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular