આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતી વૈશાલીબેન સાગરભાઈ હેમતભાઈ કછટીયા નામની 23 વર્ષની પરણીત યુવતીને અહીંની હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું બ્લડપ્રેશર વધી જવાના કારણે કે કોઈ અન્ય કારણસર મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ સાગરભાઈ હેમતભાઈ કછટીયાએ અહીંની પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દેશુરભાઈ કાયાભાઈ ધમા નામના 37 વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને તે છૂટક મજૂરી કરી અને રખડતો ભટકતો હોય, આ યુવાનને ગત તારીખ 7 મી ના રોજ બેશુદ્ધ હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવની જાણ મૃતકના ભાઈ દેવાણંદભાઈ કાયાભાઈ ધમાએ સ્થાનીક પોલીસને કરી છે.