Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનનો અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં યુવાનનો અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક સામે રહેતાં યુવાને અગમ્યકારણોસર પોતાના મકાને પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં જડેશ્વર રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ ગગનભાઇ પરિયાર (ઉ.વ.40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.

આ બનાવ અંગે મૃતકની પત્ની મનિષાબેન નરેશભાઈએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular