Saturday, December 6, 2025
Homeરાજ્યકાલાવડના બામણ ગામમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કાલાવડના બામણ ગામમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સોમવારે સવારે તેના ઘરે જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા પ્રૌઢે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા ઉતમભાઈ ભોજાભાઈ ચૌહાણ (ઉ.વ.52) નામના પ્રૌઢે સોમવારે સવારના સમયે તેના ઘરે કોઈ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પુત્ર દિનેશભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular