અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (એબીવીપી) જામનગર દ્વારા જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં 110 મીટર જેટલા લાંબા તિરંગા સાથે વિવિધ શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જામનગરના ગુરૂદ્વારા સર્કલ ખાતેથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. આ તિરંગા યાત્રામાં એબીવીપીના હોદેદારો, કાર્યકરો જોડાયા હતાં.
View this post on Instagram


