Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનને ઉલટી ઉબકા થતાં સારવાર દરમ્યાન મૃત્યુ

જામનગરમાં યુવાનને ઉલટી ઉબકા થતાં સારવાર દરમ્યાન મૃત્યુ

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામનગરના જલારામનગર વિસ્તારમાં યુવાનને ઘરે ઉલટી ઉબકા થતાં સારવારઅર્થે જી જી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં જલારામનગર, સહકાર સોસાયટીમાં રહેતા જયેશભાઇ મનસુખભાઇ રાઠોડ નામના 46 વર્ષના યુવાન ગત્ તા. 1 જૂનના રોજ પોતાના ઘરે હોય, દરમ્યાન ઉલટી ઉબકા થતાં તેમને સારવારઅર્થે જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રોહન રાઠોડ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘બી’ પોલીસ હોસ્પિટલ દોડી જઇ, મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular