Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના શક્તિ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળેફાંસો

જામનગરના શક્તિ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળેફાંસો

પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ

જામનગરમાં શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના શક્તિ સોસાયટી શેરી નંબર 5 અને 6ની વચ્ચે રહેતા રવિભારથી ભગવાનભારથી ગોસ્વામી નામના 32 વર્ષના યુવાનએ ગત્ તા. 29 મેના રોજ પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પિતા ભગવાનભારથી ગોસ્વામી દ્વારા પોલીસને જાણ કરાતાં સિટી ‘સી’ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સિટી ‘સી’ ના પીએસઆઇ એન. એમ. ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular