Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં માનસિક બિમાર યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગરમાં માનસિક બિમાર યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

અવારનવાર દવાના ઓવરડોઝ લઇને આપઘાતનો પ્રયાસ : મંગળવારે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતાં માનસિક બિમાર યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં વણકર સમાજની વાડી પાછળ રહેતો અને મજૂરીકામ કરતો દલપતભાઇ ખીમાભાઇ પરમાર (ઉ.વ. 28) વર્ષનો યુવાન માનસિક બિમાર હોય તેની સારવાર ચાલુ હતી. દરમ્યાન અવારનવાર માનસિક દવાના ઓવરડોઝ લઇને આત્મહત્યાના પ્રયાસ પણ કર્યાં હતા. દરમ્યાન મંગળવારે સાંજના સમયે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના માતા મંજુબેન દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ વી. એચ. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular