Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના જલાની જારમાં ઈશ્વર-વિવાહ યોજાયા - VIDEO

જામનગરના જલાની જારમાં ઈશ્વર-વિવાહ યોજાયા – VIDEO

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત : પુરૂષો દ્વારા પિતાંબરી અને ઝભ્ભો પહેરી ઈશ્વર-વિવાહ ગવાયા

- Advertisement -

જામનગર શહેરમાં જલાની જાર વિસ્તારમાં ગઈકાલે સાતમા નોતરે ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરૂષોએ પિતાંબર તથા ઝભ્ભો પહેરી ગાતા ગાતા ઈશ્વર વિવાહનું આયોજન કરાયું હતું આ તકે હાલારના સાંસદ, ધારાસભ્ય, શહર ભાજપા પ્રમુખ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

જામનગરમાં જ્યાં 3ર1 વર્ષ કરતા પણ વધુ સમયથી ભગવાન શિવજી અને માતા પાર્વતિજીના લગ્નનો મહિમા વર્ણવતા ઈશ્વર- વિવાહનું ગાન રમીને થાય છે. તેવા ઈશ્વર વિવાહનું આયોજન આ વર્ષે સાતમા નોરતે ગઈકાલની મધરાતે કરવામાં આવ્યું છે. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. કોઈપણ વાજીંત્ર અને લાઉડ સ્પિકર વગર ખેલાતા આ ઈશ્વર વિવાહની બીજી ખાસિયત એ છે કે, અહીં પિતાંબરી પહેરેલા ભુદેવો અને સર્વજ્ઞાતિના પુરુષો જ ઈશ્વર-વિવાહ લે છે.શહેરના જલાની જાર વિસ્તારની ગરબી પૌરાણિક ગરબીઓમાંની એક છે. આ ગરબીમાં દર સાતમા નોરતે ભુદેવો તેમજ કોઈપણ જ્ઞાતિના શિવભક્તો ઈશ્વર વિવાહ લે છે. ગરબીના ચોકમાં પિતાંબરી અને ઝભ્ભો પહેરીને એકઠા થયેલા પુરુષો , ચોક્કસ તાલ ઉપર એક જ પંક્તિ ચાર-ચાર વખત ગાતા-ગાતા ઈશ્વર વિવાહ નાચીને લે છે. જેને નિહાળવા ઠેર-ઠેરથી લોકો આવે છે. આ ગરબીની વિશેષતા એ છે કે, લાઉડ સ્પીકરનો પણ ઉપયોગ થતો નથી અને કવી દેવીદાસ કૃત આ ઈશ્વર વિવાહ રાત્રે 12 વાગ્યા આજુબાજુ શરૂ થયા હતાં જે મોડેસુધી ચાલ્યા હતાં.

- Advertisement -

આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આ વિસ્તારના રહેવાસીઓ તેમજ શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને આ ઈશ્વર વિવાહનો લાભ લીધો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular