Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયઓકટોબરમાં દિવાળી પહેલાં 54.60 લાખ ભારતીયોએ નોકરીઓ ગુમાવ્યાનો રિપોર્ટ

ઓકટોબરમાં દિવાળી પહેલાં 54.60 લાખ ભારતીયોએ નોકરીઓ ગુમાવ્યાનો રિપોર્ટ

શહેરોમાં નવી નોકરીઓ મળી, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઘટી

- Advertisement -

- Advertisement -

માત્ર ઓક્ટોબર મહિનામાં સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા 54.6 લાખ ભારતીયોએ નોકરી ગુમાવી દીધી હોવાનો અહેવાલ ભારતના અર્થતંત્ર પર નજર રાખનાર સંસ્થા સીએમઆઇએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે. વધુમાં અહેવાલ જણાવે છે કે નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા હજી વધુ હોત, પરંતુ ઈન્ફર્મેશન ટેકનોલોજી, છૂટક વ્યાપાર અને શૈક્ષણિક ક્ષેત્રોમાં રોજગારની તકના કારણે આ આંકડો ઓછો રહ્યો છે. જોકે તેમાં પણ શહેરોમાં નોકરી, રોજગાર વધ્યા છે તો ગામડાંઓમાં ભારે ઘટાડો થયો છે જે દેશના અર્થતંત્ર માટે શુભ નથી ભારતીય અર્થતંત્ર પર નિયંત્રણ રાખનારના માસિક આંકડાઓ મુજબ ઓક્ટોબરમાં 40.08 કરોડ નાગરિકોને રોજગાર મળ્યો છે. જોકે તે સપ્ટેમ્બરના 40.62 કરોડના આંકડા કરતાં 62.4 લાખ ઓછો છે.

સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબરમાં રોજગાર અને નોકરી બંનેમાં ઓટ આવી છે. દેશની કામદાર ભાગીદારીનો દર (લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ) સપ્ટેમ્બરમાં 40.66 ટકા હતો તે ઓક્ટોરમાં ઘટીને 40.41 ટકા થઈ ગયો છે. ઓગસ્ટમાં આ દર 40.52 ટકા હતો.

- Advertisement -

આશાની વાત એ છે કે નોકરિયાત શહેરી લોકો માટે સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબરમાં 7.12 લાખ તક વધી છે. તેની સામે ગ્રામ્ય નાગરિકો માટે સંગઠિત-બિનસંગઠિત રોજગારની તક 60 લાખ ઓછી થઈ ગઈ છે.

ક્ષેત્ર પ્રમાણે નજર કરીએ તો ઉદ્યોગોમાં બાંધકામ ક્ષેત્રમાં પડતી આવતાં 70 લાખ રોજગાર ઓછા થઈ ગયા છે. સ્વિગી, ઝોમેટો, રિલાયન્સ ગ્રીન જેવાં સેંકડો સાહસોમાં ડિલિવરીથી માંડી વિવિધ કામ આપતા સર્વિસ ક્ષેત્રમાં વૃદ્ધિ થવાથી બેરોજગારીને થોડીક બ્રેક વાગી છે. શહેરી રોજગારમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી, છૂટક વ્યાપાર, ટેક્સ્ટાઈલ વગેરેમાં રોજગાર-નોકરીની તક વધી રહી છે. તેની સામે ગામોમાં ખેતી, મજૂરી વગેરેમાં ભારે ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતો માને છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર વધે તો જ દેશના અર્થતંત્રમાં ખરો સુધારો જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular