Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાત05 વર્ષ પછી પણ હજુ રદ થયેલી ચલણી નોટો શા માટે ઝડપાઇ...

05 વર્ષ પછી પણ હજુ રદ થયેલી ચલણી નોટો શા માટે ઝડપાઇ રહી છે ?!

મહેસાણાના બે શખ્સો રૂા.86 લાખની રદ નોટો સાથે ઝડપાયા

- Advertisement -

એલસીબીએ ડમી ગ્રાહક ઉભો કરી મહેસાણામાં માનવ આશ્રમના સાંઈબાબા રોડ પરના પાટીદાર પ્લાઝા પાસેથી નોટબંધી દરમિયાન બંધ થઇ ગયેલી 1 હજાર અને 500ના દરની 86 લાખની ચલણી નોટો સાથે ગુરુવારે બે શખ્શોને ઝડપ્યા હતા.શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં બન્ને સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

- Advertisement -

સરકાર દ્વારા વર્ષ 2016માં નોટબંધી દરમિયાન બંધ કરાયેલ રૂ 1હજાર અને રૂ500ના દરની ચલણી નોટો બદલાવા બે શખ્સો ફરી રહ્યાની મહેસાણા એલસીબી પીએસઆઇ એસ.બી.ઝાલા અને હે.કો.શૈલેષ મયજીભાઇને બાતમી મળી હતી.જે સંબંધે મહેસાણા એસપી ર્ડો પાર્થરાજસિંહની સુચનાથી ગુરુવારે એલસીબી સ્ટાફને સાથે રાખી ગ્રાહક ઉભો કરીને કિશોર છનાભાઇ ઓડ રહે.ખેરાલુ અને વિજયસિંહ શિવસિંહ રાઠોડને મોબાઇલ ફોન કરી જુની નોટો સાથે રમાનવ આશ્રમ નજીક સાંઇબાબા રોડ પાટીદાર પ્લાઝા નજીક બોલાવ્યો હતો.

અહી ઉપરોકત બન્ને શખ્શો પહોંચતાની સાથે જ પોલીસે જીજે.02.એપી.8033 નંબરની અલ્ટોકાર સાથે 86 લાખની નોટો સાથે ઝડપી પુછપરછ હાથધરી હતી.પોલીસે બન્ને આરોપીઓ સામે સીઆરપીસી કલમ 41(1), ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી પીએસઆઇ એસ.બી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular