Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયહવે 18 વર્ષે વ્યક્તિ આપોઆપ મતદાર યાદીમાં આવી જશે

હવે 18 વર્ષે વ્યક્તિ આપોઆપ મતદાર યાદીમાં આવી જશે

- Advertisement -

કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે કહ્યું કે સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં એક બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઓફિસ ‘જનગણના ભવન’નું ઉદઘાટન કરતાં શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બનાવી શકે છે.

- Advertisement -

તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે. તેમણે કહ્યું કે વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ર્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.

તેમણે કહ્યું, ‘મરણ અને જન્મ નોંધણીને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, જયારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે, જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.

- Advertisement -

અધિકારીઓએ જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 માં સુધારો કરવા માટેનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જારી કરવા અને લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવશે. શાહે કહ્યું, ‘જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને ખાસ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે.’ તેમણે કહ્યું કે અગાઉ વિકાસની પ્રક્રિયા ટુકડે-ટુકડે થતી હતી. 2016 માં પૂર્ણ થયું કારણ કે વિકાસ માટે પૂરતો ડેટા ઉપલબ્ધ ન હતો.
શાહે કહ્યું કે, આઝાદીના 70 વર્ષ પછી દરેક ગામમાં વિજળી પહોંચાડવી, બધાને ઘર આપવા, બધાને પીવાનું પાણી આપવા, બધાને આરોગ્યની સુવિધા આપવા, દરેક ઘરમાં શૌચાલય બનાવવાની યોજનાઓ અપનાવવામાં આવી છે. ‘તે આટલો લાંબો સમય લીધો કારણ કે આ મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલા પૈસાની જરૂર પડશે તે અંગે કોઈને ખ્યાલ ન હતો, કારણ કે વસ્તી ગણતરીની ઉપયોગીતાની કલ્પના કરવામાં આવી ન હતી, વસ્તી ગણતરી સંબંધિત ડેટા સચોટ ન હતો, ઉપલબ્ધ કોઈ ઓનલાઇન એક્સેસ ન હતી. ડેટા અને વસ્તી ગણતરી અને આયોજન અધિકારીઓ સાથે કોઈ સંકલન નથી.’ તેમણે કહ્યું, ‘હું છેલ્લા 28 વર્ષથી વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલો છું અને જોયું છે કે આપણા દેશમાં વિકાસ માંગ આધારિત છે. જે જનપ્રતિનિધિઓનું શાસન હતું તેઓ તેમના મતવિસ્તારના વિકાસનો વધુ લાભ લઈ શકતા હતા. આ એક કારણ છે કે આપણો વિકાસ ટુકડાઓમાં થયો અને ડુપ્લિકેશનને કારણે મોંઘો થયો.’
નવા જનગણના ભવન સાથે, મંત્રીએ જન્મ અને મૃત્યુની નોંધણી માટેના વેબ પોર્ટલનું પણ ઉદઘાટન કર્યું. વસ્તીગણતરી અહેવાલોનો ભંડાર, વસ્તી ગણતરીના અહેવાલોના વેચાણ માટેનું ઓનલાઈન પોર્ટલ અને જીઓફેન્સીંગ સુવિધા સાથે એસઆરએસ મોબાઈલ એપનું અપગ્રેડેડ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. શાહે જણાવ્યું હતું કે જીઓફેન્સિંગથી સજ્જ મોબાઇલ એપ્લિકેશન એ સુનિરૂતિ કરશે કે અધિકારીઓ જાણશે કે ગણતરીકારો તેમને સોંપેલ વિભાગની મુલાકાત લઈને ડેટા દાખલ કરે છે અને કોઈ પણ વિભાગની મુલાકાત લીધા વિના નકલી એન્ટ્રી કરી શકશે નહીં. તેમણે કહ્યું કે તે સુનિરૂતિ કરશે કે દાખલ કરેલ ડેટા સચોટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular