Wednesday, September 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં તપસ્વીઓના પારણા તથા વરઘોડો- VIDEO

જામનગરમાં તપસ્વીઓના પારણા તથા વરઘોડો- VIDEO

જામનગરમાં જૈનોના પર્યુષણ મહાપર્વ એવા સવંત્સરી પર્વની ગઇકાલે ઉજવણી કરવામાં આવી હતી. મિચ્છામી દુક્કડમ્ કર્યા બાદ આજે તપસ્વીઓના પારણા યોજાયા હતા. પારણા બાદ સવારે તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો.

- Advertisement -

જૈન સમાજ દ્વારા ગઇકાલે સવંત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવંત્સરી નિમિત્તે દેરાસરો, ઉપાશ્રયોમાં પૂજા-અર્ચના, સાધુ-સાધ્વીજીઓના વ્યાખ્યાન, પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમયાન જાણતા-અજાણતા થયેલ મનદુ:ખ, પાપોની માફી માંગી ‘મિચ્છામી દુક્કડમ્’ કર્યા હતા. ગઇકાલે સવંત્સરી પર્વની ઉજવણી કરવામાં આવ્યા બાદ આજે સવારે તપસ્વીઓના પારણા યોજાયા હતા. પારણા બાદ તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો.

- Advertisement -

જામનગરમાં પર્યુષણ પર્વ દરમ્યાન શહેરમાં સ્થાનકવાસી અને દેરાવાસીમાં ત્રણ ઉપવાસથી લઇ વરસી તપ સહિતની તપશ્ર્ચર્યાઓ કરવામાં આવી હતી. વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ, જ્યોતિ-વિનોદ જૈન ઉપાશ્રય-જામનગરમાં પ.પૂ. આચાર્ય દેવ મેઘદર્શન સૂરીશ્વરજી મ.સા.આદીઠાણા તથા પૂજ્ય સા. જયરત્ના શ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં એક સિદ્ધિ તપ, ત્રણ 30 ઉપવાસ, દસ 16 ઉપવાસ, નવ 11/12 ઉપવાસ, નેવું 7/8/9 ઉપવાસ, છ 4/5/6 ઉપવાસ, એક્સો પાંચ 3 ઉપવાસ તથા અઠ્ઠાવીસ 64 પહોરી પૌષધની તપશ્ચર્યા થઇ હતી. ચાંદીબજાર-જૈન સંઘમાં કુલ 21 ઉપવાસ, કે.ડી.શેઠ ઉપાશ્રયમાં કુલ 22 ઉપવાસ, જૈન હાલારી સંપ્રદાય-પટેલ કોલોની ઉપાશ્રયમાં 15 ઉપવાસ, સ્વ. મ.મુ.મહેતા-જૈન પ્રવાસી ગૃહમાં 6 ઉપવાસ, તેજપ્રકાશમાં 3 ઉપવાસ, રણજિતનગર ઉપાશ્રયમાં 13 ઉપવાસ સહિત 80 તપસ્યાઓ થઇ હતી.

- Advertisement -

આ તમામ તપસ્વીઓનો આજે સવારે પારણા બાદ વરઘોડો યોજાયો હતો. શહેરના ચાંદીબજાર ખાતે આવેલ દેરાસર ખાતેથી આ વરઘોડો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળતાં ધર્મોત્સવ જેવો માહોલ છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular