Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરતા.૪જૂને જામનગરનાં ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીનો માર્ગ બંધ: અધિક જિલ્લા...

તા.૪જૂને જામનગરનાં ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીનો માર્ગ બંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

વૈકલ્પીક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળીયા બાયપાસ- સાંઢીયા પુલ તરફના રસ્તાનો ઉપયોગ કરી શકાશે

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અન્વયે તા.૪-૦૬-૨૦૨૪ના રોજ હરીયા કોલેજ, જામનગરના બિલ્ડીંગમાં મતગણતરી યોજાનાર છે. સદરહુ કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ તા.૦૪-૦૬-૨૦૨૪ ના સવારના ૦૬.૦૦ કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તત્કાલીન વાહનવ્યવહાર બંધ રહેશે.આ સમય દરમ્યાન વૈકલ્પીક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળીયા બાયપાસ- સાંઢીયા પુલ તરફના રસ્તોનો આવન-જાવન માટે ઉપયોગ કરી શકાશે.

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ફરજમાં રોકાયેલા તમામ વાહનો, ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તથા ફાયર સર્વિસને તેમજ ચૂંટણી અધિકારી તથા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેવા વાહનોને મુકિત આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજ્બ શિક્ષાને પાત્ર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular