Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયઆજથી ચાર દી’ બેંક બંધ

આજથી ચાર દી’ બેંક બંધ

- Advertisement -

આજથી 4 દિવસ, એટલે કે 28 થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેશે. બેંકના કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ પર જવાના છે. 28 જાન્યુઆરીએ (આજે) મહિનાનો ચોથો શનિવાર અને 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. એનાથી લોકો પૈસાની લેવડ-દેવડ કરી શકશે, પણ વડીલો કે મજૂરવર્ગને ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતા આવડતું નથી એટલે તેમને આ ચાર દિવસ વધારે તકલીફ પડશે.

- Advertisement -

હડતાળ અંગે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 30-31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી બે દિવસીય હડતાળ તેમની શાખામાં કામદારોને અસર કરી શકે છે. બેંકના કર્મચારીઓની આ હડતાળમાં દેશભરમાંથી બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના છે. SBIએ કહ્યું હતું કે અમને ભારતીય બેંક એસોસિયેશન દ્વારા જાણ કરવામાં આવી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સએ UFBU સાથે સંકળાયેલાં સંગઠનો, એટલે કે AIBEA, AIBOC, NCBE, AIBOઅ વગેરેને હડતાળની નોટિસ જારી કરી છે.

બેંકના કર્મચારીઓએ તેમની માગણીઓની માગ સાથે 30 અને 31 જાન્યુઆરી 2023ના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાની જાહેરાત કરી છે. AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું હતું કે બેંકકર્મચારીઓની 5 માગણી છે. પ્રથમ બેંકિંગ વર્કિંગ કલ્ચરમાં સુધારો, બેંકિંગ પેન્શન અપડેટ કરો, નેશનલ પેન્શન સિસ્ટમ નાબૂદ કરો, પગારમાં સુધારો કરો અને તમામ કેડરમાં ભરતી કરો. શનિવારથી મંગળવાર સુધી બેંકો કામ કરશે નહીં, જેને કારણે લોકો પૈસા ઉપાડવા માટે એટીએમમાં ધસારો કરશે. આવી સ્થિતિમાં અઝખમાંથી પણ રોકડા ખાલી થઈ જવાની નોબત આવી શકે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular