Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો

જામનગરમાં રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો

ઓશવાળ કોલોનીમાં એલસીબી દ્વારા દરોડો : બીયરના ટીન અને બે મોબાઇલ મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં ઓશવાળ કોલોની શેરી નં.2 મા આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સને મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઈડ દરમિયાન બીયરનો જથ્થો અને મોબાઇલ મળી 10 હજારના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઓશવાળ કોલોની શેરી નં.2 મા આવેલા મધુરમ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.104 મા રહેતા ભરત ઉર્ફે કબુતર લક્ષ્મીદાસ ખીચડા નામના શખ્સના ફલેટમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઈ કે.જી. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા ફલેટમાંથી રૂા.4500 ની કિંમતના 45 નંગ બીયરના ટીન અને રૂા.5500 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા.10 હજારનો મુદ્દામાલ મળી આવતા એલસીબીએ ભરત ઉર્ફે કબુતરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular