Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજાડા ધાન્યને પ્રોત્સાહન આપવા જીએસટી ઘટાડવા વિચારણા

જાડા ધાન્યને પ્રોત્સાહન આપવા જીએસટી ઘટાડવા વિચારણા

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય

આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં મિલેટ (જાડા ધાન્ય) અને તેના ઉત્પાદનો પરનો જીએસટી ઘટાડવા કે પછી શુન્ય કરવા પર નિર્ણય લેવાઈ શકે છે.

- Advertisement -

આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર આ જાડા ધાન્યનું ઉત્પાદનથી વપરાશ તમામમાં વધારો થાય તે જોવા માંગે છે. જેમાં બાજરા આધારીત સ્વાસ્થ્યવર્ધક મિશ્રણ પર હાલ જે 18 ટકા જીએસટી લાગે છે તે ઘટાડીને શુન્ય અથવા 5 ટકા થઈ શકે છે તો રાબ (ગોળવાળી) પરનો જીએસટી પણ 18 ટકામાંથી ઘટાડી 5 ટકા કરાશે. આ ઉપરાંત હાલમાં જ જીએસટી કાઉન્સીલે પેન્સીલ-શાર્પનર જેવી સામાન્ય ઉપયોગની અભ્યાસની ચીજો પર જે 18 ટકા લાદયો હતો તે ફરી ઘટાડીને 12 ટકા કરાશે. કાઉન્સીલની બેઠકમાં બહુ ઉપયોગી વાહનો એમ.યુ.વી. ને સ્પોર્ટસ-વ્હીકલ સાથે સમાન ટેક્ષ માળખામાં સમાવવા અંગે નિર્ણય લેય તેવી શકયતા નહીવત છે. જીએસટી ની ફીટમેન્ટ પેનલના રીપોર્ટ મુજબ 70 ટકા જાડું ધાન્ય અને તેના ઉત્પાદનો જે ખુલ્લામાં વેચાય તો તેના પર દર શુન્ય અને જે પેકીંગમાં વેચાય તેના પર 5% લાદી શકાય છે. આથી મોટા-જાડા ધાન્ય અને તેના ઉત્પાદનોની માંગ વધશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular