કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા હાઉસ રેન્ટ એલાઉન્સના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ હવે કેટલાક કર્મચારીઓને મકાન ભાડું ભથ્થું મળશે નહીં. જો કોઈ નોકરિયાત વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે, તો તેને મકાન ભાડું ભથ્થું મળે છે. એચઆરએ પર પણ ટેક્સ મુક્તિ ઉપલબ્ધ છે. હાઉસ રેન્ટ એલાઉન્સ એ પગારનો મહત્વનો ભાગ છે. નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓના એચઆરએ નિયમોમાં ફેરફાર અંગે માહિતી આપી છે. આવી સ્થિતિમાં, જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારે જાણવું જોઈએ કે હવે તમારે એચઆરએ મેળવવા માટે કઈ શરતોનું પાલન કરવું પડશે. નવા નિયમો અનુસાર હવે જો કર્મચારી અન્ય સરકારી કર્મચારીને આપવામાં આવેલ સરકારી આવાસ શેર કરે છે તો તેઓ એચઆરએ મેળવવા માટે હકદાર નથી.
જો કર્મચારીના માતા-પિતા, પુત્ર કે પુત્રીને કેન્દ્ર અથવા રાજય સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમ અને અર્ધ-સરકારી સંસ્થા જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત બેંક, એલઆઇસી વગેરે દ્વારા મકાન ફાળવવામાં આવ્યું હોય અને તે તેમાં રહેતો હોય તો પણ હવે હાઉસ રેન્ટ ઉપલબ્ધ રહેશે નહીં.
જો સરકારી કર્મચારીના જીવનસાથીને ઉપરોક્ત કોઈપણ એકમો દ્વારા મકાન આપવામાં આવ્યું હોય અને તે મકાનમાં રહેતો હોય અથવા ભાડેથી અલગ રહેતો હોય તો પણ હવે સરકાર તેને ભાડું ચૂકવશે નહીં.
એચઆરએ અથવા હાઉસ રેન્ટ એલાઉન્સ એ કર્મચારીના પગારનો એક ભાગ છે જે એમ્પ્લોયર દ્વારા ભાડે આપેલા આવાસ માટે થતા ખર્ચ માટે આપવામાં આવે છે. એચઆરએ દાવો માત્ર પગારદાર વ્યક્તિ જ કરી શકે છે. જે મકાનમાં નોકરિયાત વ્યક્તિ રહે છે તે મકાન ભાડા પર હોવું જોઈએ. તમને તમારા પોતાના ઘરમાં રહેવાનો લાભ મળતો નથી. એચઆરએ ત્યારે જ મળે છે જયારે ભાડું પગારના 10% કરતા વધારે હોય. કોઈપણ સરકારી પગારદાર વ્યક્તિ જે ભાડાના મકાનમાં રહે છે, તેના ઘરના ખર્ચને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.
ડ, ઢ અને ણ. ‘ડ’ શ્રેણી 50 લાખ અને તેથી વધુની વસ્તી ધરાવતા વિસ્તારો માટે છે. અહીં 7મા પગાર પંચ હેઠળ એચઆરએ 24% આપવામાં આવે છે. ‘ઢ’ 5 લાખથી 50 લાખ વચ્ચેની વસ્તી ધરાવતા વિસ્તાર માટે છે. અહીં 16 ટકા એચઆરએ આપવામાં આવે છે. જયાં વસ્તી 5 લાખથી ઓછી છે, તે ણ કેટેગરીમાં આવે છે અને 8 ટકા મકાન ભાડા ભથ્થું આપવામાં આવે છે.


