Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરબળાત્કાર અને પોકસોના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

બળાત્કાર અને પોકસોના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

જામનગર પેરોલ ફર્લો સ્કવોડે શેખપાટ ગામેથી દબોચ્યો

જામનગર પંચ એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર અને પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે શેખપાટ ગામેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગની વિગત મુજબ જામનગર પંચ એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર અને પોકસોના કેસનો આરોપી જીવા પરબત કણઝારિયા નામનો શખ્સ નાસતો ફરતો હોય આ દરમ્યાન સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચ તથા મહિપાલભાઇ સાદિયાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફલો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા તા. 7ના રાત્રે આરોપી જીવા પરબત કણઝારિયાને શેખપાટ ગામેથી ઝડપી વધુ કાર્યવાહી માટે જામનગર પંચ એ પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular